20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ.

 ચકલી જે માણસોના કારણે જ અત્યારે આ લુપ્ત થતી યાદીમાં આવી ગયું છે. ત્યારે પંખીનું મહત્ત્વ સમજીને તેની જાળવણી કરવીએ આપણો ધર્મ છે. તમારા ઘરમાં આમ તેમ ઉડાઉડ કરતી ચકલી વિશે કેટલીયે રસપ્રદ વાતો છે. જે તમે નહીં જાણતા હોવ. ત્યારે આવો જાણીએ ચકીબેન વિશે અનોખી વાતો.

ઘર ચકલી ડોમેસ્ટિકસ કેટેગરીમાં આવતું એક પક્ષી છે. ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં માણસ ગયો, ત્યાં આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું.

શહેરી ઇલાકાઓમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે,  તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે.

આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે.

પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા થઇ રહી છે. આધુનિક સ્થાપત્યની બહુમાળી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી.

સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે કરિયાણાવાળાની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે.

ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે. જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે.તેના કારણે માનવ વસ્તી સાથે હળીભળી ગયેલી ચકલી આપણને હવે રહેણાંક વિસ્તારોમાં ખાસ જોવા મળતી નથી. આજે વિશ્વ સ્પેરો દિવસ નિમિતે માટીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે લુપ્ત થઇ આ પ્રજાતિને બચાવવા નક્કર પગલા લેવામાં નહિ આવે તો આવનારી પેઢીએ ચકલી પણ ફોટામાં અને સોશિયલ મીડિયામાં જ જોવી પડશે.

ઘરના આંગણે કૂદતી ચહેકતી ચકલી આજે માણસથી રિસાઇ ગઇ છે. આ રિસાયેલી ચકલીને મનાવવા લોકો હવે જાગૃત બન્યા છે. ચકલીની ચિચિયારી પાછી લાવવા પક્ષી પ્રેમીઓ મેદાને પડ્યા છે. ચકલીના સ્વભાવની કેટલીક ખાસિયતો પણ જાણવાની મજા પડશે.

સાંજના સમયે રાતવાસો કરતા પહેલાં દુરથી સાંભળી શકાતી ખાસ પ્રકારની ચિચિયારી કરી વાતાવરણ ગજવી મુકતી ચકલીમાં નર અને માદા દેખાવમાં અલગ પડે છે.

નરમાં પીઠના ઉપરના ભાગે વધારે બ્રાઉન રંગ હોય છે. દાઢી અને છાતી પર કાળું ધાબુ તેમજ કાળી પહોળી ચટ્ટી ચાંચથી ઓડ સુધી લંબાયેલ છે. નર ખૂબ જ કજીયાખોર અને ઝગડું હોય છે. નર અરીસામાં પોતાની પ્રતિબીંબને હરીફ નર સમજીને ચાચ મારતો જોવા મળે છે.

ચકલા જગડવામાં મશગુલ હોય ત્યારે સહેલાઇથી હાથથી પકડી શકાય છે. અનેક ચકલી બિલાડી અને શિકારી પક્ષીનો ભોગ બનતી હોય છે. તે વારંવાર સંવનન કરતા જોવા મળે છે.

માદા નરને માટે ભાગે સંવનન કરવા આકર્ષિત કરતી હોય છે. ખુબ જ પ્રજોત્પનતી કરતું પક્ષી છે. સમગ્ર વર્ષ દરમિયાન માળો સામાન્યર રીતે દિવાલ કે ઝાડના કાણામાં બનાવે છે. જ્યાંરે કોઇ ઘર કે રહેઠાણ ઉપલબ્ધસ થાય ત્યામરે કોઇપણ જગ્યાઆ પર માળો બનાવવા માટે ઘાસના તાંતણા અને મુલાયમ પીછા ભેગા કરે છે. માળામાં ઘાસ લટકતું જોવા મળે છે. માળામાં ઘાસનો ઢગલો કરી વચ્ચેય મુલાયમ પીંછા પાથરે છે. જેમાં ૪ કે ૬ ઇંડા મુકે છે. જે મોટાભાગે સફેદ અને લંબગોળ હોય છે. લગભગ ૧૮ દિવસ પછી બચ્ચાે ઇંડામાંથી બહાર નીકળે છે. માળો દુર કરવામાં આવે તો ફરી વધારે જોશથી બનાવે છે. અને બનાવવા માટે દ્રઢ નિશ્ચયી હોય છે.

પક્ષી વિદોના જણાવ્યા પ્રમાણે ચકલીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે. જો તેના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં નહીં આવે તો માત્ર તસ્વીરોમાં જ સમાઇ જશે. રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન ઓફ બર્ડ્સે ભારતના જુદા જુદા ભાગોમાં સર્વે કરીને ચકલીને રેડ લિસ્ટમાં નાંખી છે. આથી રિસાયેલી ચકલીને આપણે જ મનાવવી પડશે.

ચકલીને માત્ર વિશ્વ ચકલી દિવસે યાદ કરાય છે.પરંતુ  કેટલાક પક્ષી પ્રેમીઓ ચકલીને  બચાવવા માટે અવનવા પ્રયત્નો કરે છે.આ પક્ષી પ્રેમી ચકલી સંવન્નમાં માટે અનોખી પહેલ કરીને ચકલીનાં બચાવાનો સંદેશો આપી રહ્યા  છે.

અમદાવાદમાં વસતાં પક્ષી પ્રેમીએ તેનાં ઘરે પાણીની. ખોરાક અને માળાની સુવિધા ઉભી કરી.

જેથી આસપાસનાં વિસ્તારનાં પક્ષીઓ આવવા લાગ્યા. આજે આ પરિવાર ચકલી બચાવા માટે શરૂ કરેલી કવાયતમાં ચકલીની સાથે ઘાસીયા મેદાનનાં પક્ષી શહેરમાં જોવા મળી રહ્યા છે.

સ્વભાવે ચકલી જેવા લાગતુ શ્વેતકંઠ પક્ષી પણ ચકલી સાથે આવ્યુ હતુ. આજે આ પરિવાર પાસે અનેક પક્ષીઓ સાથે શ્વેતકંઠ પક્ષીની મોટી સંખ્યામાં જોવા મળે છે.

અમદાવાદમાં વસતાં પક્ષીપ્રેમીને ત્યાં શ્વેતકંઠ મોટી સંખ્યામાં દેખાય છે. પણ ચકલીની સંખ્યા ઘટાડો નોંધાયો છે. ત્યારે ચકલીની સંખ્યા વધે તે માટે કોઈ પણ પ્રસંગ કે ફંકશન હોય ત્યારે પાણીનું પાત્ર પુઠામાંથી બનાવેલા માળા અને દાણા મુકવાનું પાત્ર ભેટ આપીને ચકલી બચાવાની કામગીરી શરુ હતી. આ પરિવારે ચકલી માટે છેલ્લા દસ વર્ષમાં હજારો કીટ આપીને લોકોને ચકલી બચાવાનો સંદેશો આપ્યો છે

નવતર અભિગમ સાથે એક પહેલ કરીને નાગરિકોને ચકલી બચાવવા માટે આ પરિવાર પ્રોતસાહિત કરી રહ્યો છે.ત્યારે જો દરેક લોકો આ રીતે ચકલીને બચાવવા માટે પહેલ કરે તો જરૂરથી લુપ્ત થતી ચકલીઓને બચાવી શકાશે.

શહેર ની વધતી જતી વસ્તી અને પ્રદુષણ ના કારણે પક્ષીઓ વિસરાય રહ્યા છે .તેવી જ રીતે ચકલી ની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પક્ષી પ્રેમીઓ માટે આ ચિંતાનો વિષય છે.તો સાથે પક્ષીઓને બચાવવા અથાગ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે .

પક્ષીઓનું ઘર હોય છે વૃક્ષ પરના માળા. પરંતુ વ્રુક્ષો નિકંદન નીકળી રહ્યું છે. જેથી નાના મોટા પક્ષી ઓ ને માળા કરવા માટે ક્યાય જગ્યા મળતી નથી જેને કારણે ચકલી ઓ ધીમે ધીમે વિસરાતી જાય છે.જેથી પક્ષી પ્રેમીઓ આ માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે.

ચકલી પ્રેમી અને પક્ષી વિદોની જહેમતથી લોકોમાં જાગૃતિ આવી છે. પોતાનાં ઘર અને મંદિરમાં ચકલીના માળા લગાવી ચકલીઓની રખેવાળી શરુ કરાઇ છે. જેના કારણે આજે શહેરના મોટાભાગના વિસ્તારમાં ચકલીઓ આવતી થઇ છે.

એક સમય હતો કે જયારે જુનવાણી મકાનો હતા જેમાં નળિયા.કે પીઢયા હતા અને મકાનો ની બાંધણી ના કારણે ચકલી ઓ ને પોતાના માળા માટે ખાચા મળી રહેતા હતા. પરંતુ આજે સિમેન્ટ ના મકાનો કારણે ચકલી ઓ ને વસવાટ કરવો મુસ્કેલ બની ગયો છે. જેથી ચકલી ઓ શહેર થી દુર ના જંગલો પસંદ કરે છે .

પોરબંદર પક્ષી નગર તરીકે ખ્યાતી પામ્યું છે. વર્ષ દરમિયાન વિદેશી પક્ષીઓ પણ વિચરવા આવે છે.તેની સામે આપણી ભારતીય ચકલી ઓ ની સંખ્યા મા ઘટાડો ચિંતા જનક છે.

ચકલીઓ ભલે વિસરાઇ રહી હોય.પરંતુ ચકલીને બચાવવા માટે થઇ રહેલા આ પ્રયાસ સરાહનીય છે.જો આ પ્રયાસમાં સૌ કોઇ જોડાઇ તો ચકલીની ચીચી ફરી એકવખત એવી જ સાંભળવા મળશે.જે પહેલાના સમયમાં સાંભળવા મળતી હતી.

20 માર્ચ ઍટલે વિશ્વ ચકલી દિવસ. આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ લુપ્ત થતી જાય છે ત્યારે અમદાવાદમાં એક એવી વ્યક્તિ છે જે લુપ્ત થતી ચકલીની સંખ્યામાં વધારો થાય તેવી પ્રવૃત્તિ કરે છે.

એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચી.ચી કરતી ચકલી જોવા મળતી.

જોકે હવે તેના દર્શન દુર્લભ થઈ ગયા છે.ચકલી જાતે માળો બનાવતી નથી કોઈ બખોલ કે ખુણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે.

આધુનિક સમયમાં ઘરમાં આ પ્રકારની જગ્યાના રહેતા તેમજ ગ્રીનરી ઘટતા દાણા, પાણી ન મળતા ચકલીઓની સંખ્યા પર અસર થઈ છે.

અમદાવાદમાં શ્યામલ વિસ્તારમાં રહેતા જગતભાઇ કીનખાબવાળા 2008થી ચકલી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે અને તેઓને આ પ્રયાસોમાં  સફળતા પણ મળી છે.

જગતભાઇ માળા વિતરણ કરે છે અને માળા બનાવાના વર્કશોપ પણ કરે છે. 2011થી અત્યારસુધીમાં તેઓએ 57 હજાર કરતા વધુ માળાનું વિતરણ કર્યુ છે.તેમના આ ઉમદા કાર્યની નોંધ લઇને તેનો ઉલ્લેખ વડાપ્રધાને મન કી બાત કાર્યક્મમાં પણ કર્યો હતો

મેનેજમેન્ટ કનસ્લટીંગનું કાર્ય કરતા કિનખાબવાળા ને જોઈ પ્રશ્ન થાય કે આ પ્રવૃત્તિ કરવાની પ્રેરણા તેમને કઇ રીતે મળી. તો વર્ષ 2008માં લંડન દ્વારા ચકલીઓ ઘટી રહી હોવા અંગેનો અહેવાલ પ્રગટ કરાયો. ત્યારથી તેઓએ ચકલીઓને બચાવવાની કામગીરી શરૂ કરી.

જગતભાઇનું માનીએ તો અમદાવાદમાં ચંડોળા.આસ્ટોડિયા.બોપલ.પ્રહલાદનગર.સેટેલાઇટ જેવા વિસ્તારમા ચકલીઓની સંખ્યા વધી છે. આમ તો ચકલીએ માઇગ્રેટરી પક્ષી નથી. પરંતુ  બી એન એચ એસના સર્વે પ્રમાણે રાજસ્થાનના ભરતપુરની ચકલી કઝાકીસ્તાન ગઇ હતી.

ચકલીની કેટલીક બાબતો પર નજર કરીએ તો વિશ્વમાં કુલ 169 પ્રકારની ચકલીઓ છે જેમા ભારતમા 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે.

એક ચકલી રોજ ચારથી પાંચ ગ્રામ દાણા ખાય છે અને ચાર ચમચી પાણી પીવે છે. તેનુ વજન 25થી 30 ગ્રામ હોય છે. તેની લંબાઇ 22 સેમી છે. ચકલી 15 દિવસમાં ઉડતા શીખી જાય છે

ફેબ્રુઆરીથી જુનની વચ્ચે તે પ્રજનન કરે છે. ચકો મેટીંગ માટે ચકીને અવાજ કરીને બોલાવે છે પણ અવાજ પ્રદુષણને કારણે ચકી તે અવાજને સાંભળી શકતી નથી.

એવી ઘણી વસ્તુઓ છે જે બદલાતા સમયમા દુર્લભ બનતી જાય છે. જેમા નાનકડા પક્ષી ચકલીનો  સમાવેશ થાય છે. એ સમય બહુ દુર નથી જ્યારે આવનાર પેઢીને ચકલી અંગે માહિતી આપવી હશે તો પ્રાણી સંગ્રહાલય કે પક્ષીની તસ્વીરનો સહારો લેવો પડશે.આ પક્ષીના લુપ્ત થવા માટે  બીજુ કોઇ નહી પણ આપણે પોતે જવાબદાર છીએ.જો હજી પણ જાગૂત નહી થઇએ તો બીજા પક્ષીઓની પણ આવીજ સ્થિતિ સર્જાય તો નવાઇ નહી.

20 માર્ચ એટલે ચકલીઓ માટેનો સમર્પિત દિવસ.20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી થાય છે.ત્યારે આ ચકલી એટલે. ચી ચી ના અવાજ સાથે સમગ્ર વાતાવરણ ને ગુંજતું કરનાર મનગમતું પક્ષી. આજકાલ ચકલી વિલુપ્ત થતું પક્ષી બન્યું છે. ત્યારે ફરીથી ગોરૈયાને આંગણે આવતી કરવા ચકલી બચાવવા ઝુંબેશ થરુ થઈ છે.

ચકલી એટલે નાના બાળકોનું મન ગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયા ની ઉપમા આપવામાં આવે છે. એજ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે.

જંગલ કપાતા ગયા અને આંગણાનું આ પક્ષી પણ ખોવાતું ગયું છે. .ત્યારે આ ચકલીને લુપ્ત થતી બચાવવા માટે ચકલીને બચાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચકલીઓના માળાનું વિતરણ કરી રહી છે

થોડા વર્ષો પહેલા જ ઘરમાં ચકલીની ચી ચી. સુમધુર સંગીત રેલાવતી હતી. પરંતુ કોન્ક્રીટના જંગલમાં શહેરોની સાથે હવે ગામડા પણ ચકલીઓ ધીરેધીરે ગૂમ થતી જાય છે.

જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં ચકલીને જોઇને નહીં.પરંતુ ઘરમાં જ ચકલીની ચીચી સાંભળે તેવા પ્રયાસના ભાગ રૂપે આ માળાનું વિતરણ કરાઇ રહ્યુ છે.

ત્યારે 20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાશે


Post a Comment

0 Comments